વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૬
104
46976
166780
166521
2022-08-08T16:09:50Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૩૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
રહી હતી. કૃતિની નીચે તારીખ નાંખવાની બીથોવનને ટેવ હતી જ
નહિ. વધારામાં એને એવી ટેવ હતી કે કૃતિ શરૂ ભલે આજે કરી
હોય, પણ એને પડતી મૂકીને છેક બેત્રણ કે ચારપાંચ વર્ષે ફરી હાથમાં
લે, અને એ પૂરી કરતાં તો કદાચ એથી પણ વધુ લાંબો સમય લે.
વળી, એ પૂરી થાય એટલે તરત જ છપાઈ જાય એ પણ જરૂરી
નહિ હોવાને કારણે કૃતિના સર્જન અને પ્રકાશન વચ્ચે ઘણી વાર
ખાસ્સો ગાળો રહેતો. પણ એટલા પુરાવા મળે છે કે 1798-99માં
એણે ‘થ્રી ટ્રાયોઝ ફૉર સ્ટ્રિગ્સ’ (ઓપસ 9), પાંચ પિયાનો સોનાટાઝ
(ઓપસ 10 અને 14), ‘પિયાનો સોનાટા પૅથેટિક’ (ઓપસ 13),
ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 12), પિયાનો કન્ચુર્ટો નં. 1 અને
નં. 2 તથા પહેલી સિમ્ફની લખ્યાં. પહેલી સિમ્ફનીનો પ્રીમિયર શો
1800ના જૂનની બીજીએ થયો.
‘મૂતલાઇટ સોનાટા’
1800માં એણે બૅલે ધ મૅન ઑફ પ્રોમિથિયુસ’, છ ક્વાર્ટેટ્સ
(ઓપલ 18), સેપ્ટેટ (ઓપસ 30), પિયાનો સોનાટા ઇન B ફ્લેટ
(ઓપસ 22), પિયાનો કન્ચુર્ટો નં. 3 ઇન C માઇનોર, અને
ઑરેટોરિયો ધ માઉન્ટ ઑફ ઓલિઝ' લખ્યાં. 1801માં બે
વાયોલિન સોનાટા (ઓપસ 23 અને 24), ચાર પિયાનો સોનાટા
ઇન A ફ્લૅટ (ઓપસ 26), ઇન E ફ્લૅટ (ઓપસ 27), ઇન C
શાર્પ માઇનોર (ઓપસ 28) અને ઇન D મેજર (ઓપસ 28),
ક્વિન્ટેટ ઇન C મેજર (ઓપસ 29) ઉપરાંત બીજી પણ કૃતિઓ
લખી. એમાંથી પિયાનો સોનાટા ઇન C શાર્પ માઇનોરને પછીથી
‘મૂનલાઇટ’ને નામે પ્રસિદ્ધિ મળી. એ નામ ખુદ બીથોવને તો નહોતું
જ આપ્યું. પ્રાર્થનાવેદી પર ઘૂંટણીએ પડીને બીમાર પિતાની તબિયત
માટે પ્રાર્થના કરતી છોકરીનું વર્ણન કરતી કવિ સૂમીની એક કવિતા
ઉપરથી આ સોનાટા બીથોવનને સૂઝેલો. પછીથી એણે પોતાની શિષ્યા<noinclude></noinclude>
3fbs6xe3pva42x9ku2odlbvbcrgmvcw
166781
166780
2022-08-08T16:15:29Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૩૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
રહી હતી. કૃતિની નીચે તારીખ નાંખવાની બીથોવનને ટેવ હતી જ
નહિ. વધારામાં એને એવી ટેવ હતી કે કૃતિ શરૂ ભલે આજે કરી
હોય, પણ એને પડતી મૂકીને છેક બેત્રણ કે ચારપાંચ વર્ષે ફરી હાથમાં
લે, અને એ પૂરી કરતાં તો કદાચ એથી પણ વધુ લાંબો સમય લે.
વળી, એ પૂરી થાય એટલે તરત જ છપાઈ જાય એ પણ જરૂરી
નહિ હોવાને કારણે કૃતિના સર્જન અને પ્રકાશન વચ્ચે ઘણી વાર
ખાસ્સો ગાળો રહેતો. પણ એટલા પુરાવા મળે છે કે 1798-99માં
એણે ‘થ્રી ટ્રાયોઝ ફૉર સ્ટ્રિન્ગ્સ’ (ઓપસ 9), પાંચ પિયાનો સોનાટાઝ
(ઓપસ 10 અને 14), ‘પિયાનો સોનાટા પૅથેટિક’ (ઓપસ 13),
ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 12), પિયાનો કન્ચર્ટો નં. 1 અને
નં. 2 તથા પહેલી સિમ્ફની લખ્યાં. પહેલી સિમ્ફનીનો પ્રીમિયર શો
1800ના જૂનની બીજીએ થયો.
'''‘મૂનલાઇટ સોનાટા’'''
{{gap}}1800માં એણે બૅલે ‘ધ મૅન ઑફ પ્રોમિથિયુસ’, છ ક્વાર્ટેટ્સ
(ઓપલ 18), સેપ્ટેટ (ઓપસ 30), પિયાનો સોનાટા ઇન B ફ્લેટ
(ઓપસ 22), પિયાનો કન્ચર્ટો નં. 3 ઇન C માઇનોર, અને
ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઓલિવ્ઝ’ લખ્યાં. 1801માં બે
વાયોલિન સોનાટા (ઓપસ 23 અને 24), ચાર પિયાનો સોનાટા
ઇન A ફ્લૅટ (ઓપસ 26), ઇન E ફ્લૅટ (ઓપસ 27), ઇન C
શાર્પ માઇનોર (ઓપસ 28) અને ઇન D મેજર (ઓપસ 28),
ક્વિન્ટેટ ઇન C મેજર (ઓપસ 29) ઉપરાંત બીજી પણ કૃતિઓ
લખી. એમાંથી પિયાનો સોનાટા ઇન C શાર્પ માઇનોરને પછીથી
‘મૂનલાઇટ’ને નામે પ્રસિદ્ધિ મળી. એ નામ ખુદ બીથોવને તો નહોતું
જ આપ્યું. પ્રાર્થનાવેદી પર ઘૂંટણીએ પડીને બીમાર પિતાની તબિયત
માટે પ્રાર્થના કરતી છોકરીનું વર્ણન કરતી કવિ સૂમીની એક કવિતા
ઉપરથી આ સોનાટા બીથોવનને સૂઝેલો. પછીથી એણે પોતાની શિષ્યા<noinclude></noinclude>
ky9epm4j3vm6wi3rr6zpdp9h63023m3
166783
166781
2022-08-08T16:19:56Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૩૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
રહી હતી. કૃતિની નીચે તારીખ નાંખવાની બીથોવનને ટેવ હતી જ નહિ. વધારામાં એને એવી ટેવ હતી કે કૃતિ શરૂ ભલે આજે કરી હોય, પણ એને પડતી મૂકીને છેક બેત્રણ કે ચારપાંચ વર્ષે ફરી હાથમાં લે, અને એ પૂરી કરતાં તો કદાચ એથી પણ વધુ લાંબો સમય લે. વળી, એ પૂરી થાય એટલે તરત જ છપાઈ જાય એ પણ જરૂરી નહિ હોવાને કારણે કૃતિના સર્જન અને પ્રકાશન વચ્ચે ઘણી વાર ખાસ્સો ગાળો રહેતો. પણ એટલા પુરાવા મળે છે કે 1798-99માં એણે ‘થ્રી ટ્રાયોઝ ફૉર સ્ટ્રિન્ગ્સ’ (ઓપસ 9), પાંચ પિયાનો સોનાટાઝ (ઓપસ 10 અને 14), ‘પિયાનો સોનાટા પૅથેટિક’ (ઓપસ 13), ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 12), પિયાનો કન્ચર્ટો નં. 1 અને નં. 2 તથા પહેલી સિમ્ફની લખ્યાં. પહેલી સિમ્ફનીનો પ્રીમિયર શો 1800ના જૂનની બીજીએ થયો.
'''‘મૂનલાઇટ સોનાટા’'''
{{gap}}1800માં એણે બૅલે ‘ધ મૅન ઑફ પ્રોમિથિયુસ’, છ ક્વાર્ટેટ્સ (ઓપલ 18), સેપ્ટેટ (ઓપસ 30), પિયાનો સોનાટા ઇન B ફ્લેટ (ઓપસ 22), પિયાનો કન્ચર્ટો નં. 3 ઇન C માઇનોર, અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઓલિવ્ઝ’ લખ્યાં. 1801માં બે વાયોલિન સોનાટા (ઓપસ 23 અને 24), ચાર પિયાનો સોનાટા ઇન A ફ્લૅટ (ઓપસ 26), ઇન E ફ્લૅટ (ઓપસ 27), ઇન C શાર્પ માઇનોર (ઓપસ 28) અને ઇન D મેજર (ઓપસ 28),
ક્વિન્ટેટ ઇન C મેજર (ઓપસ 29) ઉપરાંત બીજી પણ કૃતિઓ લખી. એમાંથી પિયાનો સોનાટા ઇન C શાર્પ માઇનોરને પછીથી ‘મૂનલાઇટ’ને નામે પ્રસિદ્ધિ મળી. એ નામ ખુદ બીથોવને તો નહોતું જ આપ્યું. પ્રાર્થનાવેદી પર ઘૂંટણીએ પડીને બીમાર પિતાની તબિયત
માટે પ્રાર્થના કરતી છોકરીનું વર્ણન કરતી કવિ સૂમીની એક કવિતા ઉપરથી આ સોનાટા બીથોવનને સૂઝેલો. પછીથી એણે પોતાની શિષ્યા<noinclude></noinclude>
7mca70pfee197czzyardi8uh2mtn2lu
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૭
104
46977
166782
166522
2022-08-08T16:18:36Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૩૭}}<hr></noinclude>કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડીને એ અર્પણ કરી દીધો કારણ કે એ
એના પ્રેમમાં પડી ગયેલો.
'''બહેરાશ'''
{{gap}}પણ એક વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકે બીથોવનની ઝળહળતી
કારકિર્દી ઉપર હવે કાળાં વાદળ છવાઈ ગયાં. તાજેતરમાં આવેલી
થોડી બહેરાશ વધવા માંડી અને એણે વધુ ને વધુ ગંભીર સ્વરૂપ
લેવા માંડ્યું. પરિણામે પ્રવાસી વર્ચ્યુઓસો તરીકેની એની કારકિર્દીનો
પૂરો ખાત્મો જ થઈ ગયો. કરવા માટે હવે એક જ પ્રવૃત્તિ બચી
હતી, એ હતી અવનવી કૃતિઓ રચવાની – કંપોઝિશનની પ્રવૃત્તિ.
આમ, નછૂટકે એણે અંતર્મુખ થવું પડ્યું. બહેરાશ કઈ તારીખે આવી
એની ચોક્કસ તારીખ નોંધવામાં આવી નથી. આ અંગે બે વાયકાઓ
વ્યાપક છે : એક વાયકા અનુસાર 1796ના ઉનાળામાં એક ગરમ
દિવસે બહારથી તપી જઈને ઘરમાં અંદર આવીને ઠંડા પડવા માટે
બીથોવન અંડરવેર સહિત બધાં જ કપડાં ઉતારીને સાવ નગ્ન થઈને
એક ખુલ્લી બારી આગળ જઈને ઊભો રહ્યો અને એ જ ક્ષણે એ
બહેરો થઈ ગયો ! બીજી વાયકા અનુસાર બ્રિટિશ પિયાનિસ્ટ ચાર્લ્સ
નીટને બીથોવને 1815માં એમ કહેલું કે બીથોવનની એક કૃતિમાં
ગાવા માટે એક ટેનરે એટલાં બધાં નખરાં કર્યાં કે એના નાજુક કંઠને
અનુકૂળ થવા માટે બીથોવને એને માટે ત્રણ વાર સુધારા કરવા પડેલા.
‘હાશ છૂટ્યો’ એવો છુટકારાનો દમ બીથોવન હજી માંડ ભરી
રહ્યો હતો ત્યાં જ પેલા ટેનરને પાછો પોતાની તરફ દોડતો
આવતો જોઈને બીથોવન ભડક્યો. પણ એ એવો તો ભડક્યો કે કાળી
ચીસ પાડીને ખુરશીમાંથી ઊભા થઈ જઈને એણે દાદરા પર પડતું
નાંખ્યું. એનું એકે હાડકું તો ભાંગ્યું નહિ, પણ ઊભો થયો કે તરત
તેને સંભળાવું બંધ થઈ ગયું ! આ કથા પિયાનિસ્ટ નીટને બીથોવને
પોતે જ કહેલી એ વાતનો પુરાવો છે. પણ આવી મનઘડંત કલ્પના<noinclude></noinclude>
7ir28hg8djcyawyz6pfllch0pdoluux
166793
166782
2022-08-08T16:40:59Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૩૭}}<hr></noinclude>કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડીને એ અર્પણ કરી દીધો કારણ કે એ એના પ્રેમમાં પડી ગયેલો.
'''બહેરાશ'''
{{gap}}પણ એક વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકે બીથોવનની ઝળહળતી કારકિર્દી ઉપર હવે કાળાં વાદળ છવાઈ ગયાં. તાજેતરમાં આવેલી થોડી બહેરાશ વધવા માંડી અને એણે વધુ ને વધુ ગંભીર સ્વરૂપ લેવા માંડ્યું. પરિણામે પ્રવાસી વર્ચ્યુઓસો તરીકેની એની કારકિર્દીનો
પૂરો ખાત્મો જ થઈ ગયો. કરવા માટે હવે એક જ પ્રવૃત્તિ બચી હતી, એ હતી અવનવી કૃતિઓ રચવાની – કંપોઝિશનની પ્રવૃત્તિ. આમ, નછૂટકે એણે અંતર્મુખ થવું પડ્યું. બહેરાશ કઈ તારીખે આવી એની ચોક્કસ તારીખ નોંધવામાં આવી નથી. આ અંગે બે વાયકાઓ વ્યાપક છે : એક વાયકા અનુસાર 1796ના ઉનાળામાં એક ગરમ દિવસે બહારથી તપી જઈને ઘરમાં અંદર આવીને ઠંડા પડવા માટે બીથોવન અંડરવેર સહિત બધાં જ કપડાં ઉતારીને સાવ નગ્ન થઈને એક ખુલ્લી બારી આગળ જઈને ઊભો રહ્યો અને એ જ ક્ષણે એ બહેરો થઈ ગયો ! બીજી વાયકા અનુસાર બ્રિટિશ પિયાનિસ્ટ ચાર્લ્સ નીટને બીથોવને 1815માં એમ કહેલું કે બીથોવનની એક કૃતિમાં ગાવા માટે એક ટેનરે એટલાં બધાં નખરાં કર્યાં કે એના નાજુક કંઠને
અનુકૂળ થવા માટે બીથોવને એને માટે ત્રણ વાર સુધારા કરવા પડેલા. ‘હાશ છૂટ્યો’ એવો છુટકારાનો દમ બીથોવન હજી માંડ ભરી રહ્યો હતો ત્યાં જ પેલા ટેનરને પાછો પોતાની તરફ દોડતો આવતો જોઈને બીથોવન ભડક્યો. પણ એ એવો તો ભડક્યો કે કાળી ચીસ પાડીને ખુરશીમાંથી ઊભા થઈ જઈને એણે દાદરા પર પડતું નાંખ્યું. એનું એકે હાડકું તો ભાંગ્યું નહિ, પણ ઊભો થયો કે તરત તેને સંભળાવું બંધ થઈ ગયું ! આ કથા પિયાનિસ્ટ નીટને બીથોવને પોતે જ કહેલી એ વાતનો પુરાવો છે. પણ આવી મનઘડંત કલ્પના<noinclude></noinclude>
aaovthamuy20mm76uzdk3oo274xbw1g
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૮
104
46978
166784
166523
2022-08-08T16:22:06Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૩૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>ઊપજાવી કાઢવા પાછળ મહાન સંગીતકારનો આશય શો હશે એ
સમજાતું નથી !
હકીકતમાં 1799થી બહેરાશ ચાલુ થયેલી પણ આરંભમાં
એની ૫૨ એણે કોઈ ધ્યાન આપ્યું હોય એવું જણાતું નથી. પણ માત્ર
દોઢ જ વરસના ગાળામાં બહેરાશે એટલું બધું ગંભીર રૂપ ધારણ
કર્યું કે પ્રવાસી વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકેની મહત્ત્વાકાંક્ષાભરી
કારકિર્દી પડતી મૂકવી પડી. અગાઉથી નક્કી થયેલા પિયાનોવાદનના
કાર્યક્રમો પણ રદ કરવા પડ્યા. છતાં, આ દુર્ઘટનાને એણે શક્ય તેટલો
લાંબો સમય છુપાવી રાખવાની મથામણ કરેલી કારણ કે હરીફ
સંગીતકારો અને દુશ્મનો એનો ગેરલાભ ઉઠાવે એવી એને દહેશત
હતી. 1801ના જૂનની ઓગણત્રીસમીએ એણે મિત્ર વેજિલરને એક
કાગળ લખી બહેરાશનો એકરાર કર્યો :
:{{gap}}''મને સારી આવક થઈ રહી છે. સરળતાથી સાંસારિક વ્યવહારો ચલાવી શકું છું. છસાત પ્રકાશકો મારી કૃતિઓ છાપે છે અને હું માંગું એ રકમ મને ચૂકવે છે. મારે ભાવતાલ નથી કરવા પડતા. હું ધારું તો વધુ પ્રકાશકો પણ મેળવી શકું એમ છું. પણ બહેરાશ મારો પીછો નથી છોડતી. મારાં સડેલાં આંતરડાં જ મારી બહેરાશ માટે જવાબદાર છે. તું જાણે છે કે ગમે ત્યારે પાતળા ઝાડા છૂટી જવાની બીમારી મને પહેલેથી જ છે. જુદા જુદા કંઈ કેટલાય ડૉક્ટરોને મેં બતાવી જોયું. મને એમાંથી કેટલાક થોડીઘણી અક્કલવાળા તો બીજા તો સાવ જ બૂડથલ જણાયા છે. છેલ્લે મળ્યો એ ડૉક્ટરે મારા ઝાડા તો બંધ કરી દીધા છે પણ રાતદિવસ સતત મને કાનમાં તમરાંનો ગણગણાટ અને સિસોટીઓ તો સંભળાયા જ કરે છે. સામાજિક મેળાવડાના બધા જ પ્રસંગોમાં જવાનું મેં બંધ કરી દીધું છે. કયા મોઢે લોકોને હું કહું કે હું બહેરો છું ? હું બીજો કોઈ ધંધો કરતો હોત તો ઠીક હતું કે એમાં બહેરાશ આડી આવત નહિ, પણ અવાજો''<noinclude></noinclude>
1oe3hhfszef19ihsbuvvu7htizyf5cj
166785
166784
2022-08-08T16:22:51Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૩૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>ઊપજાવી કાઢવા પાછળ મહાન સંગીતકારનો આશય શો હશે એ
સમજાતું નથી !
{{gap}}હકીકતમાં 1799થી બહેરાશ ચાલુ થયેલી પણ આરંભમાં
એની ૫૨ એણે કોઈ ધ્યાન આપ્યું હોય એવું જણાતું નથી. પણ માત્ર
દોઢ જ વરસના ગાળામાં બહેરાશે એટલું બધું ગંભીર રૂપ ધારણ
કર્યું કે પ્રવાસી વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકેની મહત્ત્વાકાંક્ષાભરી
કારકિર્દી પડતી મૂકવી પડી. અગાઉથી નક્કી થયેલા પિયાનોવાદનના
કાર્યક્રમો પણ રદ કરવા પડ્યા. છતાં, આ દુર્ઘટનાને એણે શક્ય તેટલો
લાંબો સમય છુપાવી રાખવાની મથામણ કરેલી કારણ કે હરીફ
સંગીતકારો અને દુશ્મનો એનો ગેરલાભ ઉઠાવે એવી એને દહેશત
હતી. 1801ના જૂનની ઓગણત્રીસમીએ એણે મિત્ર વેજિલરને એક
કાગળ લખી બહેરાશનો એકરાર કર્યો :
:{{gap}}''મને સારી આવક થઈ રહી છે. સરળતાથી સાંસારિક વ્યવહારો ચલાવી શકું છું. છસાત પ્રકાશકો મારી કૃતિઓ છાપે છે અને હું માંગું એ રકમ મને ચૂકવે છે. મારે ભાવતાલ નથી કરવા પડતા. હું ધારું તો વધુ પ્રકાશકો પણ મેળવી શકું એમ છું. પણ બહેરાશ મારો પીછો નથી છોડતી. મારાં સડેલાં આંતરડાં જ મારી બહેરાશ માટે જવાબદાર છે. તું જાણે છે કે ગમે ત્યારે પાતળા ઝાડા છૂટી જવાની બીમારી મને પહેલેથી જ છે. જુદા જુદા કંઈ કેટલાય ડૉક્ટરોને મેં બતાવી જોયું. મને એમાંથી કેટલાક થોડીઘણી અક્કલવાળા તો બીજા તો સાવ જ બૂડથલ જણાયા છે. છેલ્લે મળ્યો એ ડૉક્ટરે મારા ઝાડા તો બંધ કરી દીધા છે પણ રાતદિવસ સતત મને કાનમાં તમરાંનો ગણગણાટ અને સિસોટીઓ તો સંભળાયા જ કરે છે. સામાજિક મેળાવડાના બધા જ પ્રસંગોમાં જવાનું મેં બંધ કરી દીધું છે. કયા મોઢે લોકોને હું કહું કે હું બહેરો છું ? હું બીજો કોઈ ધંધો કરતો હોત તો ઠીક હતું કે એમાં બહેરાશ આડી આવત નહિ, પણ અવાજો''<noinclude></noinclude>
qrpymb1apgqtpl1evlrfbodrzlk4916
166794
166785
2022-08-08T16:42:40Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૩૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>ઊપજાવી કાઢવા પાછળ મહાન સંગીતકારનો આશય શો હશે એ સમજાતું નથી !
{{gap}}હકીકતમાં 1799થી બહેરાશ ચાલુ થયેલી પણ આરંભમાં એની ૫૨ એણે કોઈ ધ્યાન આપ્યું હોય એવું જણાતું નથી. પણ માત્ર દોઢ જ વરસના ગાળામાં બહેરાશે એટલું બધું ગંભીર રૂપ ધારણ કર્યું કે પ્રવાસી વર્ચ્યુઓસો પિયાનિસ્ટ તરીકેની મહત્ત્વાકાંક્ષાભરી કારકિર્દી પડતી મૂકવી પડી. અગાઉથી નક્કી થયેલા પિયાનોવાદનના કાર્યક્રમો પણ રદ કરવા પડ્યા. છતાં, આ દુર્ઘટનાને એણે શક્ય તેટલો લાંબો સમય છુપાવી રાખવાની મથામણ કરેલી કારણ કે હરીફ સંગીતકારો અને દુશ્મનો એનો ગેરલાભ ઉઠાવે એવી એને દહેશત હતી. 1801ના જૂનની ઓગણત્રીસમીએ એણે મિત્ર વેજિલરને એક કાગળ લખી બહેરાશનો એકરાર કર્યો :
:{{gap}}''મને સારી આવક થઈ રહી છે. સરળતાથી સાંસારિક વ્યવહારો ચલાવી શકું છું. છસાત પ્રકાશકો મારી કૃતિઓ છાપે છે અને હું માંગું એ રકમ મને ચૂકવે છે. મારે ભાવતાલ નથી કરવા પડતા. હું ધારું તો વધુ પ્રકાશકો પણ મેળવી શકું એમ છું. પણ બહેરાશ મારો પીછો નથી છોડતી. મારાં સડેલાં આંતરડાં જ મારી બહેરાશ માટે જવાબદાર છે. તું જાણે છે કે ગમે ત્યારે પાતળા ઝાડા છૂટી જવાની બીમારી મને પહેલેથી જ છે. જુદા જુદા કંઈ કેટલાય ડૉક્ટરોને મેં બતાવી જોયું. મને એમાંથી કેટલાક થોડીઘણી અક્કલવાળા તો બીજા તો સાવ જ બૂડથલ જણાયા છે. છેલ્લે મળ્યો એ ડૉક્ટરે મારા ઝાડા તો બંધ કરી દીધા છે પણ રાતદિવસ સતત મને કાનમાં તમરાંનો ગણગણાટ અને સિસોટીઓ તો સંભળાયા જ કરે છે. સામાજિક મેળાવડાના બધા જ પ્રસંગોમાં જવાનું મેં બંધ કરી દીધું છે. કયા મોઢે લોકોને હું કહું કે હું બહેરો છું ? હું બીજો કોઈ ધંધો કરતો હોત તો ઠીક હતું કે એમાં બહેરાશ આડી આવત નહિ, પણ અવાજો''<noinclude></noinclude>
jamryl58fgl4t7gm7r51h1c7k3x8riq
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૯
104
46979
166787
166524
2022-08-08T16:26:26Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૩૯}}<hr></noinclude>''ઉત્પન્ન કરવાના ધંધામાં એ કેવી રીતે ચાલે ? મારા દુશ્મનો તો મારો સફાયો કરી નાંખશે ! હું સડેલી જિંદગી જીવું છું. મારા અસ્તિત્વ પર હું ફિટકાર વરસાવું છું. હું મને ધિક્કારું છું. ઈશ્વરે સર્જેલ સૌથી વધુ દુ:ખી આત્મા હું છું. પણ વેજિલર ! આ રહસ્ય કોઈને પણ કહીશ નહિ, તારી પત્ની-(એલિનોર ફૉન બ્રૂનિન્ગ)ને પણ નહિ.''
{{gap}}અદાકારો શું બોલે છે તે સાંભળવા માટે અને સંગીતકારો શું
ગાય છે, વગાડે છે તે સાંભળવા માટે થિયેટરમાં પહેલી હરોળમાં
એણે બેસવું પડતું. મિત્રોને એ કહેતો નહિ કે સંભળાતું નથી,
તેથી મિત્રો આગળ સાંભળવાનો ઢોંગ કરીને એ માત્ર ડોકું જ
હલાવતો ! પ્રત્યાઘાતો નહિ મળવાને કારણે મિત્રો હવે એવું માનવા
લાગ્યા કે એને મિત્રોનો કંટાળો આવે છે અથવા એ શૂન્યમનસ્ક કે
અન્યમનસ્ક થઈ ગયો છે અથવા તો જીવન પ્રત્યે અને નિર્વેદ જાગ્યો
છે ! 1802માં બીથોવન એક શિષ્ય રીસ સાથે વિયેના નજીક આવેલા
જંગલ ‘વિયેના વુડ્સ’માં લટાર મારી રહ્યો હતો. નજીકમાં એક
ભરવાડ જાતે બનાવેલી વાંસળી વગાડી રહ્યો હતો. શિષ્ય રીસે એની
૫૨ બીથોવનનું ધ્યાન દોર્યું. પણ બીથોવનને કશું સંભળાયું જ
નહિ ! એની તદ્દન રડમસ, નિરાશ અને હતાશ હાલત થઈ ગઈ.
'''ધ હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ'''
{{gap}}હતાશ બીથોવને એ ઉનાળો વિયેનાની પડખે આવેલા અને
રળિયામણી વનરાજિથી ઘેરાયેલા ગામ હિલીજેન્સ્ટાટમાં વિતાવ્યો.
અહીં રમ્ય પ્રકૃતિનું સાન્નિધ્ય હતું, તો સાથે સાથે વિયેના પણ સાવ
ઢૂંકડું હતું. તેથી ડૉક્ટરને બતાવવા વિયેના આવવું પણ સહેલું હતું.
આ ગામમાં બીથોવને જહેમતપૂર્વક એક દસ્તાવેજ તૈયાર કર્યો જે
હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ નામે ઓળખાયો. એના બે ભાઈઓને
સંબોધેલો આ દસ્તાવેજ એણે કદી એમને મોકલ્યો નહિ. એના<noinclude></noinclude>
59585cpyzzltmb3h8p2oocurdoki82y
166795
166787
2022-08-08T16:45:04Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૩૯}}<hr></noinclude>''ઉત્પન્ન કરવાના ધંધામાં એ કેવી રીતે ચાલે ? મારા દુશ્મનો તો મારો સફાયો કરી નાંખશે ! હું સડેલી જિંદગી જીવું છું. મારા અસ્તિત્વ પર હું ફિટકાર વરસાવું છું. હું મને ધિક્કારું છું. ઈશ્વરે સર્જેલ સૌથી વધુ દુ:ખી આત્મા હું છું. પણ વેજિલર ! આ રહસ્ય કોઈને પણ કહીશ નહિ, તારી પત્ની-(એલિનોર ફૉન બ્રૂનિન્ગ)ને પણ નહિ.''
{{gap}}અદાકારો શું બોલે છે તે સાંભળવા માટે અને સંગીતકારો શું ગાય છે, વગાડે છે તે સાંભળવા માટે થિયેટરમાં પહેલી હરોળમાં એણે બેસવું પડતું. મિત્રોને એ કહેતો નહિ કે સંભળાતું નથી, તેથી મિત્રો આગળ સાંભળવાનો ઢોંગ કરીને એ માત્ર ડોકું જ હલાવતો ! પ્રત્યાઘાતો નહિ મળવાને કારણે મિત્રો હવે એવું માનવા લાગ્યા કે એને મિત્રોનો કંટાળો આવે છે અથવા એ શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક થઈ ગયો છે અથવા તો જીવન પ્રત્યે અને નિર્વેદ જાગ્યો છે ! 1802માં બીથોવન એક શિષ્ય રીસ સાથે વિયેના નજીક આવેલા જંગલ ‘વિયેના વુડ્સ’માં લટાર મારી રહ્યો હતો. નજીકમાં એક ભરવાડ જાતે બનાવેલી વાંસળી વગાડી રહ્યો હતો. શિષ્ય રીસે એની ૫૨ બીથોવનનું ધ્યાન દોર્યું. પણ બીથોવનને કશું સંભળાયું જ
નહિ ! એની તદ્દન રડમસ, નિરાશ અને હતાશ હાલત થઈ ગઈ.
'''ધ હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ'''
{{gap}}હતાશ બીથોવને એ ઉનાળો વિયેનાની પડખે આવેલા અને રળિયામણી વનરાજિથી ઘેરાયેલા ગામ હિલીજેન્સ્ટાટમાં વિતાવ્યો. અહીં રમ્ય પ્રકૃતિનું સાન્નિધ્ય હતું, તો સાથે સાથે વિયેના પણ સાવ ઢૂંકડું હતું. તેથી ડૉક્ટરને બતાવવા વિયેના આવવું પણ સહેલું હતું. આ ગામમાં બીથોવને જહેમતપૂર્વક એક દસ્તાવેજ તૈયાર કર્યો જે હિલીજેન્સ્ટાટ ટેસ્ટામેન્ટ નામે ઓળખાયો. એના બે ભાઈઓને સંબોધેલો આ દસ્તાવેજ એણે કદી એમને મોકલ્યો નહિ. એના<noinclude></noinclude>
n92sobnukoimg821k5611m6itqi7cof
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૦
104
46980
166789
166525
2022-08-08T16:33:00Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૦}}<hr></noinclude>
અવસાન બાદ કોઈ કબાડી પાસેથી પ્રકાશક એટૉરિયાએ કાગળોની
એક થપ્પી ખરીદેલી, તેમાંથી આ દસ્તાવેજ મળી આવેલો. એનું
ધ્યાનાકર્ષક લક્ષણ એ છે કે ભાઈ જોહાનનો ઉલ્લેખ એણે નામથી
નહિ પણ ખાલી જગ્યાથી કર્યો છે :
:{{gap}}''મારા ભાઈઓ કાર્લ અને ........ બીથોવન માટે.''
:{{gap}}''હે ભાઈઓ ! તમે એવું સમજો છો અને કહો છો કે હું દ્વેષી, ઈર્ષ્યાળુ, ક્રૂર અને જિદ્દી છું. તમને ખબર નથી કે તમે કેટલા ખોટા છો ! બાળપણથી જ મારું હૃદય પ્રેમ અને ભાઈચારાની શુભ અને કોમળ લાગણીઓથી ભીંજવાયેલું પણ એ રહસ્ય તમે કદી જાણ્યું નહિ. મારે તો મહાન પરાક્રમો કરવાં હતાં પણ જવા દો એ બધી વાત. છેલ્લાં છ વરસથી હું સાવ બેકાર કેસ છું. અક્કલ વગરના ડૉક્ટરોએ સુધારાની ઠગારી આશાઓ આપીને, પણ હકીકતમાં મને છેતરીને, મારા રોગને વકરવા દીધો છે; જેને મારે હવે કાયમ માટે વેઠવાનો છે. ખરેખર તો મારા ધંધા માટે શ્રવણશક્તિ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ હોવી અનિવાર્ય છે. પહેલાં તો હું આનંદી અને હસમુખો હતો. પણ હવે બહેરાશને કારણે સમાજમાં હળીભળીને દોસ્તીનો આનંદ લૂંટવો મારે માટે અશક્ય છે. ગૂંગળાવી નાખતી એકલતામાં જ મારે જીવવાનું છે. જો કોઈને મળું તો બહેરાશને કારણે ‘મોટેથી બોલો’ એવા ઘાંટા મારાથી પડાઈ જાય છે ! લોકોની સાથે ઊભો હોઉં તો બધા મારી હરકોને એક તમાશો સમજી તાકી રહે છે એની મને શરમ આવે છે. એટલે જ હું હળતાંમળતાં હવે ગભરાઉં છું. વળી ગેરસમજ થવાની શક્યતાથી પણ હું ડરું છું. દુશ્મન આ હકીકતનો ફાયદો ઉઠાવી જાય તે તો વળી અલગ જ ! દેશનિકાલની હાલતમાં જીવવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નથી. મારું અસ્તિત્વ આપત્તિરૂપ છે. મારી સ્થિતિ કંગાળ છે. મિત્રો અને સંગાથીઓને સદા ઝંખી રહેલા કોઈને પણ માટે આ સ્થિતિ ત્રાસરૂપ છે. હું દયાપાત્ર છું. ધીરજ ધરવા સિવાય<noinclude></noinclude>
akj6obkvrq97uoouay5xkq123amtdov
166797
166789
2022-08-08T16:46:23Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૦}}<hr></noinclude>
અવસાન બાદ કોઈ કબાડી પાસેથી પ્રકાશક એટૉરિયાએ કાગળોની એક થપ્પી ખરીદેલી, તેમાંથી આ દસ્તાવેજ મળી આવેલો. એનું ધ્યાનાકર્ષક લક્ષણ એ છે કે ભાઈ જોહાનનો ઉલ્લેખ એણે નામથી નહિ પણ ખાલી જગ્યાથી કર્યો છે :
:{{gap}}''મારા ભાઈઓ કાર્લ અને ........ બીથોવન માટે.''
:{{gap}}''હે ભાઈઓ ! તમે એવું સમજો છો અને કહો છો કે હું દ્વેષી, ઈર્ષ્યાળુ, ક્રૂર અને જિદ્દી છું. તમને ખબર નથી કે તમે કેટલા ખોટા છો ! બાળપણથી જ મારું હૃદય પ્રેમ અને ભાઈચારાની શુભ અને કોમળ લાગણીઓથી ભીંજવાયેલું પણ એ રહસ્ય તમે કદી જાણ્યું નહિ. મારે તો મહાન પરાક્રમો કરવાં હતાં પણ જવા દો એ બધી વાત. છેલ્લાં છ વરસથી હું સાવ બેકાર કેસ છું. અક્કલ વગરના ડૉક્ટરોએ સુધારાની ઠગારી આશાઓ આપીને, પણ હકીકતમાં મને છેતરીને, મારા રોગને વકરવા દીધો છે; જેને મારે હવે કાયમ માટે વેઠવાનો છે. ખરેખર તો મારા ધંધા માટે શ્રવણશક્તિ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ હોવી અનિવાર્ય છે. પહેલાં તો હું આનંદી અને હસમુખો હતો. પણ હવે બહેરાશને કારણે સમાજમાં હળીભળીને દોસ્તીનો આનંદ લૂંટવો મારે માટે અશક્ય છે. ગૂંગળાવી નાખતી એકલતામાં જ મારે જીવવાનું છે. જો કોઈને મળું તો બહેરાશને કારણે ‘મોટેથી બોલો’ એવા ઘાંટા મારાથી પડાઈ જાય છે ! લોકોની સાથે ઊભો હોઉં તો બધા મારી હરકતોને એક તમાશો સમજી તાકી રહે છે એની મને શરમ આવે છે. એટલે જ હું હળતાંમળતાં હવે ગભરાઉં છું. વળી ગેરસમજ થવાની શક્યતાથી પણ હું ડરું છું. દુશ્મન આ હકીકતનો ફાયદો ઉઠાવી જાય તે તો વળી અલગ જ ! દેશનિકાલની હાલતમાં જીવવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નથી. મારું અસ્તિત્વ આપત્તિરૂપ છે. મારી સ્થિતિ કંગાળ છે. મિત્રો અને સંગાથીઓને સદા ઝંખી રહેલા કોઈને પણ માટે આ સ્થિતિ ત્રાસરૂપ છે. હું દયાપાત્ર છું. ધીરજ ધરવા સિવાય<noinclude></noinclude>
eijev5q569auj9mz8zmv83ymhmj7a8k
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૧
104
46981
166792
166526
2022-08-08T16:39:15Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૧}}<hr></noinclude>''મારી પાસે વિકલ્પ નથી. માત્ર મારું મક્કમ મનોબળ જ મને બચાવી શકે. એ મનોબળ મક્કમ જ રહે એવી આશા રાખું છું. મને સત્તાવીસ વરસ પૂરાં થયાં. આ ઉંમરે હું ફિલસૂફ બનીને
જ રહીશ.
:{{gap}}''પ્રિય ભાઈઓ કાર્લ અને .........., હું મરી જાઉં પછી જો ડૉ. શ્મીડ જીવતા હોય તો એમને મારી માંદગી વિશે પૂછી મારા રોગનું નામ જાણી લેજો, જેથી દુનિયાને એ જણાવી શકાય અને મારા અંગેની ગેરસમજ દૂર થાય. મારી પાસે જે કાંઈ છે એને જો સંપત્તિ કહી શકાય એમ હોય તો એ સંપત્તિના તમને બંનેને સરખા ભાગે વારસદાર જાહેર કરું છું. એને સરખે ભાગે વહેંચી લેજો અને એકબીજાને મદદ કરીને સંપથી રહેજો. તમે બંનેએ મને જે ત્રાસ પહોંચાડ્યો હતો એને તો હું ક્યારનો ભૂલી ગયો છું.
:{{gap}}''પ્રિય કાર્લ, છેલ્લા થોડા સમયથી તેં મારા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ હું તારો ખાસ આભાર માનું છું. મારા કરતાં તમારા બંનેની જિંદગી પળોજણોથી મુક્ત અને વધુ સારી બને એમ ઇચ્છું છું. તમારાં બાળકોને સાચાં મૂલ્યો અને નીતિના પાઠ ભણાવો એવી ભલામણ હું કરું છું. પૈસા નહિ પણ મૂલ્યો જ સુખ આપી શકે છે, એમ હું મારા જાતઅનુભવ પરથી કહું છું. નીતિએ જ મને વ્યથામાંથી ઉગાર્યો. એ પછી મારી કલા મારે પડખે ઊભી રહી, એણે જ મને આપઘાત કરવામાંથી ઉગારી લીધો. તમને બંનેને હું અલવિદા કહું છું. મારા બધા જ મિત્રોનો હું આભાર માનું છું – ખાસ તો પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો અને પ્રોફેસર શ્મીડનો. લિખ્નોવ્સ્કીએ મને ભેટ આપેલાં વાજિંત્રો તમારા બેમાંથી કોઈ એક જાળવી રાખે એવી મારી અભિલાષા છે. પણ જોજો, એના કારણે તમે બંને પાછા ઝઘડી પડશો નહિ, અને સારાં દામ મળતાં હોય તો એ વાજિંત્રો વેચી કાઢો. તમને બંનેને આ રીતે કબરમાં સૂતા સૂતા પણ મદદ કરવાનો મને<noinclude></noinclude>
2ig158qkrrgwqgo38ejzo38m3apc139
166798
166792
2022-08-08T16:47:11Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૧}}<hr></noinclude>''મારી પાસે વિકલ્પ નથી. માત્ર મારું મક્કમ મનોબળ જ મને બચાવી શકે. એ મનોબળ મક્કમ જ રહે એવી આશા રાખું છું. મને સત્તાવીસ વરસ પૂરાં થયાં. આ ઉંમરે હું ફિલસૂફ બનીને
જ રહીશ.
:{{gap}}''પ્રિય ભાઈઓ કાર્લ અને .........., હું મરી જાઉં પછી જો ડૉ. શ્મીડ જીવતા હોય તો એમને મારી માંદગી વિશે પૂછી મારા રોગનું નામ જાણી લેજો, જેથી દુનિયાને એ જણાવી શકાય અને મારા અંગેની ગેરસમજ દૂર થાય. મારી પાસે જે કાંઈ છે એને જો સંપત્તિ કહી શકાય એમ હોય તો એ સંપત્તિના તમને બંનેને સરખા ભાગે વારસદાર જાહેર કરું છું. એને સરખે ભાગે વહેંચી લેજો અને એકબીજાને મદદ કરીને સંપથી રહેજો. તમે બંનેએ મને જે ત્રાસ પહોંચાડ્યો હતો એને તો હું ક્યારનો ભૂલી ગયો છું.
:{{gap}}''પ્રિય કાર્લ, છેલ્લા થોડા સમયથી તેં મારા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ હું તારો ખાસ આભાર માનું છું. મારા કરતાં તમારા બંનેની જિંદગી પળોજણોથી મુક્ત અને વધુ સારી બને એમ ઇચ્છું છું. તમારાં બાળકોને સાચાં મૂલ્યો અને નીતિના પાઠ ભણાવો એવી ભલામણ હું કરું છું. પૈસા નહિ પણ મૂલ્યો જ સુખ આપી શકે છે, એમ હું મારા જાતઅનુભવ પરથી કહું છું. નીતિએ જ મને વ્યથામાંથી ઉગાર્યો. એ પછી મારી કલા મારે પડખે ઊભી રહી, એણે જ મને આપઘાત કરવામાંથી ઉગારી લીધો. તમને બંનેને હું અલવિદા કહું છું. મારા બધા જ મિત્રોનો હું આભાર માનું છું – ખાસ તો પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો અને પ્રોફેસર શ્મીડનો. લિખ્નોવ્સ્કીએ મને ભેટ આપેલાં વાજિંત્રો તમારા બેમાંથી કોઈ એક જાળવી રાખે એવી મારી અભિલાષા છે. પણ જોજો, એના કારણે તમે બંને પાછા ઝઘડી પડશો નહિ, અને સારાં દામ મળતાં હોય તો એ વાજિંત્રો વેચી કાઢો. તમને બંનેને આ રીતે કબરમાં સૂતા સૂતા પણ મદદ કરવાનો મને<noinclude></noinclude>
81n51s9hp950h2nby26c6p5g64756tb
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૨
104
46982
166796
166527
2022-08-08T16:46:15Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૪૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
''કેટલો બધો આનંદ આવશે !! જલદી જલદી મરી પરવારવાનો
મને હર્ષ છે ! જોકે મારી કલાત્મક શક્તિઓનો પરચો
બતાવવાનો મોકો તો મારે એમાં ગુમાવવો જ પડશે. પણ બીજું
થાય પણ શું ? છતાં મને સંતોષ છે કે મારી અનંત
યાતનાઓમાંથી તો હું ઊગરી જઈશ જ. તમે ઈચ્છશો ત્યારે
મારું ભૂત તમને મળવા આવશે. મને સાવ જ ભૂલી જશો
નહિ, કારણ કે જીવતે જીવ મેં તમારી સુખાકારી માટે બહુ ચિંતા
કરી છે. સારું, અલવિદા !
{{સ-મ|||'''–લુડવિગ ફાન બીથોવન'''<br><center>(સીલ)</center>}}
{{સ-મ|||''હિલીજેન્સ્ટાટ,ઑક્ટોબર 6, 1802''}}
{{gap}}''મારા ભાઈઓ કાર્લ અને.......માટે મારા મૃત્યુ પછી વાંચવા અને અનસરવા માટે.''
{{gap}}પણ નિરાશાની આ પળો ટૂંકજીવી બની રહી. પ્લુટાર્કના
વાચનથી બીથોવનમાં ફરી એક વાર ઉત્સાહ આવ્યો અને આ
દસ્તાવેજ ભાઈઓને મોકલાયા વિના પડી રહ્યો. એ જ વર્ષે એણે
નવી કૃતિઓ લખી: ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 30),
પિયાનો સોનાટા (ઓપસ 31), બીજી સિમ્ફની, ‘ધ બેગાટેલેસ’
(ઓપસ 33), આદિ. એમાંથી કેટલીક તરત જ છપાઈ.
'''‘ઇમ્પોર્ટલ બિલવિડ’'''
{{gap}}બીથોવન એનાં અંતિમ વર્ષોમાં બેંક શૅર્સ ધરાવતો. એના મૃત્યુ
પછી એનાં શૅર સર્ટિફિકેટ્સની ખૂબ તપાસ ચાલી; પણ તરત મળ્યાં
નહિ. આખરે એના મિત્ર હોલ્ઝે સંશોધકોને બીથોવનના ટેબલમાં
એક ગુપ્ત ડ્રૉઅર બતાવ્યું. એમાંથી એ સર્ટિફિકેટ્સ ઉપરાંત ત્રણ
પ્રેમપત્રો પણ મળી આવ્યા. લીડ પેન્સિલથી લખેલા એ પત્રો આ
મુજબ છે :
{{nop}}<noinclude></noinclude>
nlvxi1n6sfs3wkaqasdlxkszyci57t5
166799
166796
2022-08-08T16:48:51Z
Amvaishnav
156
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૪૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
''કેટલો બધો આનંદ આવશે !! જલદી જલદી મરી પરવારવાનો મને હર્ષ છે ! જોકે મારી કલાત્મક શક્તિઓનો પરચો બતાવવાનો મોકો તો મારે એમાં ગુમાવવો જ પડશે. પણ બીજું થાય પણ શું ? છતાં મને સંતોષ છે કે મારી અનંત યાતનાઓમાંથી તો હું ઊગરી જઈશ જ. તમે ઈચ્છશો ત્યારે મારું ભૂત તમને મળવા આવશે. મને સાવ જ ભૂલી જશો નહિ, કારણ કે જીવતે જીવ મેં તમારી સુખાકારી માટે બહુ ચિંતા કરી છે. સારું, અલવિદા !
{{સ-મ|||'''–લુડવિગ ફાન બીથોવન'''<br><center>(સીલ)</center>}}
{{સ-મ|||''હિલીજેન્સ્ટાટ,ઑક્ટોબર 6, 1802''}}
{{gap}}''મારા ભાઈઓ કાર્લ અને.......માટે મારા મૃત્યુ પછી વાંચવા અને અનસરવા માટે.''
{{gap}}પણ નિરાશાની આ પળો ટૂંકજીવી બની રહી. પ્લુટાર્કના વાચનથી બીથોવનમાં ફરી એક વાર ઉત્સાહ આવ્યો અને આ દસ્તાવેજ ભાઈઓને મોકલાયા વિના પડી રહ્યો. એ જ વર્ષે એણે નવી કૃતિઓ લખી: ત્રણ વાયોલિન સોનાટા (ઓપસ 30), પિયાનો સોનાટા (ઓપસ 31), બીજી સિમ્ફની, ‘ધ બેગાટેલેસ’ (ઓપસ 33), આદિ. એમાંથી કેટલીક તરત જ છપાઈ.
'''‘ઇમ્મોર્ટલ બિલવિડ’'''
{{gap}}બીથોવન એનાં અંતિમ વર્ષોમાં બેંક શૅર્સ ધરાવતો. એના મૃત્યુ પછી એનાં શૅર સર્ટિફિકેટ્સની ખૂબ તપાસ ચાલી; પણ તરત મળ્યાં નહિ. આખરે એના મિત્ર હોલ્ઝે સંશોધકોને બીથોવનના ટેબલમાં એક ગુપ્ત ડ્રૉઅર બતાવ્યું. એમાંથી એ સર્ટિફિકેટ્સ ઉપરાંત ત્રણ પ્રેમપત્રો પણ મળી આવ્યા. લીડ પેન્સિલથી લખેલા એ પત્રો આ
મુજબ છે :
{{nop}}<noinclude></noinclude>
cewvlbf40wrt43lrj4fcmnekig21a8q
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૩
104
46983
166800
166528
2022-08-09T10:55:01Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૩}}<hr></noinclude>
:{{gap}}''મારી દેવી, મારું સર્વસ્વ, મારું પ્રતિબિંબ, પરસ્પર ત્યાગ વિના પણ આપણો પ્રેમ ટકી શકશે, પરસ્પરનું સર્વસ્વ માંગી લીધા વિના પણ આપણો પ્રેમ ટકી શકશે. તું પૂરેપૂરી મારી છે અને હું પૂરેપૂરો તારો છું એ haકીકતને શું તું બદલી શકશે ? પણ આપણે બંને જો પૂરેપૂરાં એક બની જઈશું તો તને પણ મારી જેમ પીડા થશે જ.''
:{{gap}}''મારો પ્રવાસ ભયાનક હતો. ગઈ કાલે સવારે ચાર વાગ્યા પછી હું અહીં પહોંચ્યો. ઘોડાની અછતને લઈને ગાડીવાને જુદો રસ્તો પસંદ કર્યો પણ એ તો ત્રાસજનક નીવડ્યો ! અને છેક મધરાતે જંગલમાં પહોંચીને એણે કહ્યું કે આગળ વધી શકાય એમ નથી ! અને એ સડેલા રસ્તે ત્યાં જ મારી ગાડી તૂટી ગઈ અને હું કાદવકીચડથી ભરેલા તળિયા વિનાના રસ્તામાં ખૂંપી ગયો. ગાડીવાન અને એના સાગરીતોએ મને એમાંથી બચાવી લીધો ના હોત તો હું ત્યાં જ મરી પરવાર્યો હોત ! ચાર ઘોડા હોવા છતાં જે હાલત મારી ગાડીની થઈ એ જ હાલત થોડા દિવસ પહેલાં ઍસ્ટર્હેઝીની ગાડીની આઠ ઘોડા હોવા છતાં પણ થયેલી. પણ મુશ્કેલીમાંથી બચી જવાનો મને આનંદ છે. હવે થોડી અંગત વાત. થોડા જ વખતમાં આપણે બંને મળીએ છીએ. મારી પોતાની જિંદગીને લગતાં મેં જે થોડાં નિરીક્ષણો છેલ્લા થોડા દિવસોમાં કર્યાં છે તે હું તને નહિ જણાવી શકું ! આપણાં હૃદય જ હંમેશાં સાથે જ હોત તો તો એવાં નિરીક્ષણો મેં કર્યા જ હોત નહિ ! તને ઘણીબધી વાતો કહેવા માટે મારું હૃદય આતુર છે. ઓહ ! એવી ક્ષણો પણ આવે છે જ્યારે લાગે છે કે બોલવાનો કોઈ મતલબ નથી ! હું તારો જ છું. આપણને જે જોઈશે તે દેવો મોકલશે જ !''
{{સ-મ|||''– તારો વિશ્વાસુ '''લુડવિગ'''''}}
:''સાંજે, જુલાઈ 6, સોમવાર''
:{{gap}}''તું રિબાય છે, પ્રિયે ! હવે મને અક્કલ આવી કે કાગળ લખીને તરત જ વહેલી સવારે રવાના કરી દેવો જોઈએ. અહીંથી''<noinclude></noinclude>
duq7wq24pawl8d3p9fz8ljb4sm761t0
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૪
104
46984
166801
166529
2022-08-09T11:12:21Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૪૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>''ટપાલ લેવા માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ પોસ્ટકોચ આવે છે – સોમવારે, ગુરુવારે. તું રિબાય છે. હું જ્યાં પણ {{SIC|હાઉં|હોઊં}} ત્યાં તું છે જ. મામલો થાળે પડે પછી હું તારી સાથે જ રહીશ. કેવી જિંદગી છે !! આવી !!! તારા વિના !''
:{{gap}}''માણસનું માણસ દ્વારા થતું અપમાન જોઈને મને રિબામણી થાય છે. બ્રહ્માંડના સંદર્ભમાં જ્યારે હું મારો વિચાર કરું છું કે હું કોણ છું અને એ .............. સૌથી મહાન કોણ છે તો ડઘાઈ જાઉં છું. સાચી દિવ્યતા તો અહીં પાર્થિવ માણસમાં જ રહેલી છે ! તું મને ચાહે છે એનાથી પણ વધારે હું તને
ચાહું છું ! પણ મારાથી તું તારા વિચારો છુપાવીશ નહિ. ગુડ નાઈટ ! અત્યારે નહાતાં નહાતાં હું તને આ કાગળ લખું છું. પછી હું પથારીમાં જઈને ઊંઘી જઈશ. હે ઈશ્વર ! આટલે નજીક છતાં આટલે બધે દૂર શાને ?'''
:''ગુડ મૉર્નિંગ, જુલાઈ 7'''
:{{gap}}''હજી તો હું પથારીમાં છું પણ મારું મન તારી પાછળ જ ભટકે છે, મારી અમર પ્રેયસી ! નિયતિને આપણો પ્રેમ મંજૂર હશે કે કેમ એ વિચારતાં મારું મન ઘડીમાં દુઃખી થઈ જાય છે અને ઘડીમાં આનંદમાં આવી જાય છે. તું જો મને નહિ મળે તો હું જીવી શકીશ નહિ. હું તારી બાહોંમાં ઝંપલાવીને કહું છું કે હું તારો જ છું. પણ એ પહેલાં મેં ભટકી લેવાનો નિર્ધાર કર્યો છે. મારી ચંચળતા તું જાણતી હોઈશ, તેથી ભલે દુઃખપૂર્વક છતાં આસાનીથી તું ફેંસલો કરી શકીશ. હવે કોઈ મારું હૃદય ચોરી શકશે જ નહિ, કોઈ પણ નહિ, કદાપિ નહિ ! હે ઈશ્વર, એવું શા માટે જરૂરી છે કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી જુદા પડવું પડે ? વિયેનામાં મારી જિંદ્દગી તદન કંગાળ છે. તારો પ્રેમ મને વિશ્વનો સૌથી વધુ સુખી અને સાથે સાથે વિશ્વનો સૌથી વધુ દુઃખી માનવી બનાવે છે. આ ઉંમરે મારે સ્થિર અને શાંત જીવન જોઈએ છે. આપણી સ્થિતિમાં એ શક્ય બનશે ?''<noinclude></noinclude>
62qjpohjos9hgkzpd8zyojfomeoisef
166802
166801
2022-08-09T11:12:43Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૪૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>''ટપાલ લેવા માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ પોસ્ટકોચ આવે છે – સોમવારે, ગુરુવારે. તું રિબાય છે. હું જ્યાં પણ {{SIC|હાઉં|હોઊં}} ત્યાં તું છે જ. મામલો થાળે પડે પછી હું તારી સાથે જ રહીશ. કેવી જિંદગી છે !! આવી !!! તારા વિના !''
:{{gap}}''માણસનું માણસ દ્વારા થતું અપમાન જોઈને મને રિબામણી થાય છે. બ્રહ્માંડના સંદર્ભમાં જ્યારે હું મારો વિચાર કરું છું કે હું કોણ છું અને એ .............. સૌથી મહાન કોણ છે તો ડઘાઈ જાઉં છું. સાચી દિવ્યતા તો અહીં પાર્થિવ માણસમાં જ રહેલી છે ! તું મને ચાહે છે એનાથી પણ વધારે હું તને ચાહું છું ! પણ મારાથી તું તારા વિચારો છુપાવીશ નહિ. ગુડ નાઈટ ! અત્યારે નહાતાં નહાતાં હું તને આ કાગળ લખું છું. પછી હું પથારીમાં જઈને ઊંઘી જઈશ. હે ઈશ્વર ! આટલે નજીક છતાં આટલે બધે દૂર શાને ?'''
:''ગુડ મૉર્નિંગ, જુલાઈ 7'''
:{{gap}}''હજી તો હું પથારીમાં છું પણ મારું મન તારી પાછળ જ ભટકે છે, મારી અમર પ્રેયસી ! નિયતિને આપણો પ્રેમ મંજૂર હશે કે કેમ એ વિચારતાં મારું મન ઘડીમાં દુઃખી થઈ જાય છે અને ઘડીમાં આનંદમાં આવી જાય છે. તું જો મને નહિ મળે તો હું જીવી શકીશ નહિ. હું તારી બાહોંમાં ઝંપલાવીને કહું છું કે હું તારો જ છું. પણ એ પહેલાં મેં ભટકી લેવાનો નિર્ધાર કર્યો છે. મારી ચંચળતા તું જાણતી હોઈશ, તેથી ભલે દુઃખપૂર્વક છતાં આસાનીથી તું ફેંસલો કરી શકીશ. હવે કોઈ મારું હૃદય ચોરી શકશે જ નહિ, કોઈ પણ નહિ, કદાપિ નહિ ! હે ઈશ્વર, એવું શા માટે જરૂરી છે કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી જુદા પડવું પડે ? વિયેનામાં મારી જિંદ્દગી તદન કંગાળ છે. તારો પ્રેમ મને વિશ્વનો સૌથી વધુ સુખી અને સાથે સાથે વિશ્વનો સૌથી વધુ દુઃખી માનવી બનાવે છે. આ ઉંમરે મારે સ્થિર અને શાંત જીવન જોઈએ છે. આપણી સ્થિતિમાં એ શક્ય બનશે ?''<noinclude></noinclude>
ktnos5cmsxc5xq1a9sctxptpr2z966t
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૫
104
46986
166803
166532
2022-08-09T11:24:05Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૫}}<hr></noinclude>
:{{gap}}''મારી દેવી, મને હમણાં જ ખબર પડી કે અહીંથી પોસ્ટમૅન રોજ ટપાલ લઈ જાય છે. એટલે આ કાગળ લખવો બંધ કરી જલદી પોસ્ટ કરું છું જેથી તને એ આજે મળી જાય. શાંત થા, ઠંડા દિમાગે વિચાર કરીને જ આપણે બંને સાથે રહી શકીએ. શાંત થા ! મને પ્રેમ કર ! મને પ્રેમ કરતી રહેજે ! તારા હૃદયના શ્રેષ્ઠ ચાક મારા વિશે ગેરસમજ કરીશ નહિ.''
{{સ-મ|||{{align|right|હંમેશાં તારો}}<br> {{align|right|હંમેશાં મારો}}<br> {{align|right|હંમેશાં આપણા બંન્નેનો}}<br> {{align|right|'''બીથોવન'''}}}}<br><br><br>
{{gap}}આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ કોણ હતી ? કાગળોમાં સંબોધન
સ્પષ્ટ નથી. એ શોધવા માટે અસંખ્ય સંશોધકોએ અથાક પ્રયત્નો
કર્યા છે. કેટલાક માને છે કે એ કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડી હતી.
એ 1801માં બીથોવનની શિષ્યા હતી ત્યારે બીથોવન એના ઊંડા
પ્રેમમાં પડેલો એ વાત તો નક્કી જ છે. એ વખતે 1801માં એ
સત્તર વરસની હતી. અને એ જ વર્ષે બીથોવન એને પહેલી વાર
મળેલો. બીથોવન ભલે તેના ઊંડા પ્રેમમાં તરત પડી ગયો પણ
ગિયુલિટાને તો તેના પ્રત્યે માત્ર ગાઢ મિત્રતા અને અહોભાવ જ
હતાં. ઉનાળાની એક રાતે ગિયુલિટા સમક્ષ બીથોવને જ્યારે મુનલાઇટ
સોનાટા પિયાનો પર વગાડ્યો ત્યારે ગિયુલિટાએ બીથોવનને પોતાનો
એક નિર્ણય જણાવ્યો : રૂપાળા અને દેખાડવા જુવાન કાઉન્ટ ગાલેન્બર્ગ
સાથે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની હતી. આ સાંભળી બીથોવન
સળગી ઊઠ્યો, ક્રોધાવેશમાં એણે બરાડા પાડવા માંડ્યા અને રસ્તા
પર એ દોડવા માંડ્યો. ગિયુલિટાની કઝીન થેરિસા ફૉન બ્રૂન્સ્વિકને
મળીને બીથોવને આ વાત કરી. ગિયુલિટાના કાઉન્ટ ગાલેન્બર્ગ
સાથેના લગ્નપ્રસંગે બીથોવન હાજર રહેલો, પણ તેણે ઑર્ગન પર
શોકસંગીત વગાડી આનંદમંગલના પ્રસંગના રંગમાં ભંગ પાડેલો !<noinclude></noinclude>
ga4c1tvkx7al5ro5x0n6kx3mnvcejlk
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૬
104
46987
166804
166533
2022-08-09T11:58:18Z
Meghdhanu
3380
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
બિચારી ગિયુલિટાનું નસીબ ફૂટેલું નીકળ્યું ! લગ્ન પછી એનો વર
જુગારી સાબિત થયો. હવે ગિયુલિટાને બીથોવન માટે સહાનુકંપા
થઈ ખરી, પણ એ ઘણી મોડી પડી. તેણે બીથોવનને પત્ર લખીને
પશ્ચાત્તાપનો એકરાર કર્યો અને એના અનુસંધાનમાં બીથોવને આ
ત્રણ પત્રો લખ્યા, જે ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ નામે નામના પામ્યા.
દિલના ઊંડાણમાંથી બીથોવન ભલે હજી પણ ગિયુલિટાને ચાહતો
હોવા છતાં તે હવે તેને પરણવા માંગતો નહોતો તે વાત તેના આ
પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. 1801ના નવેમ્બરમાં બીથોવને વેજિલરને
છેલ્લા વરસથી બહેરાશને કારણે એકલવાયી અને દુઃખી બનેલી
પોતાની જિંદગી વિશે લખેલું :
:{{gap}}''પણ હવે એક રૂપાળી અને આકર્ષક છોકરીને કારણે છેલ્લે છેલ્લે સ્થિતિ બદલાઈ છે. પહેલી વાર મને લાગ્યું કે લગ્ન મને સુખ આપી શકે. પણ અરેરે ! એ ખૂબ જ શ્રીમંત અને ઍરિસ્ટોક્રેટિક છે ! તેથી આ લગ્ન અશક્ય છે.''
{{gap}}અહીં અધ્યાહાર ઉલ્લેખ પામેલી છોકરી ગિયુલિટા જ હતી.
એના કુટુંબે મધ્યમ વર્ગના બીથોવન સાથે એને લગ્નની મંજૂરી આપી
હોય એ સંભવ જ નથી. 1803માં એ કાઉન્ટ ગૅલન્બર્ગને પરણી
ગઈ. વીસ વરસ પછી મિત્ર શીન્ડ્લર આગળ બીથોવને આ
પ્રેમપ્રકરણ વિશે કહેલું : “એ મારા ઊંડા પ્રેમમાં હતી; એના પતિ
સાથેના પ્રેમ કરતાં તો કાંઈ કેટલાય વધારે.”
'''થેરિસા ફૉન બ્રૂન્સ્વિક'''
{{gap}}પણ કેટલાક જીવનકથાકારો કહે છે કે આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’
પ્રેમપત્રો જેને સંબોધ્યા છે તે આ છોકરી નહિ, પણ બીજી ત્રણ
છોકરીઓ હોઈ શકે : તેરચૌદ વરસની થેરેસા માલ્ફાતી, બીજી
એમિલી સેબાલ્ડ અને ત્રીજી હંગેરિયન કાઉન્ટેસ થેરિસા ફૉન બ્રૂન્સ્વિક.
આ છેલ્લી થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ગિયુલિટાની જ કઝિન હતી. વળી<noinclude></noinclude>
0tgeapoeafx358z5egp63e8d80uaddu
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૧
104
46992
166786
166538
2022-08-08T16:25:21Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૧}}<hr></noinclude>
‘ફૉસ્ટ’ ઉપરથી જો કોઈએ સારો લિબ્રેતો તૈયાર કરી આપ્યો હોત તો તેણે એના પર જરૂર ઑપેરા લખ્યો હોત. ‘ફિડેલિયો'ના પ્રીમિયર શો માટેના ઑવર્ચરથી અલગ જ એવા એ ઑપેરા માટેના ત્રણ નવા ઓવર્ચર્સ એણે પછીનાં વર્ષોમાં અલગ અલગ સમયે લખેલા.
{{gap}}1806ની પાનખરમાં વિયેનાના દરબારી થિયેટર સમક્ષ બીથોવને એક દરખાસ્ત મૂકી : વિયેના દરબાર અને બીથોવન એકબીજા સાથે એક કૉન્ટ્રેક્ટ કરે અને એ કૉન્ટ્રેક્ટ અનુસાર પ્રત્યેક વર્ષે બીથોવન એ થિયેટરને એક ઑપેરા અને એક ઑપેરેટા<sup>*</sup><ref>*નાનો, એકાંકી ઑપેરા.</ref> લખી આપે. બદલામાં થિયેટર બીથોવનને વાર્ષિક 2,400 ફ્લોરિનની રકમ ચૂકવે. આ દરખાસ્ત તરત જ ફગાવી દેવામાં આવી. પણ એ જ દરબારના એક સભ્ય અને થિયેટરના ડાયરેક્ટર પ્રિન્સ ઍસ્ટર્ડેઝીએ બીથોવન પાસે એક માસ માંગ્યો, અને એણે માસ લખી આપ્યો.
'''નવસર્જન'''
{{gap}}1806, 1807 અને 1808માં બીથોવને નવી કૃતિઓ લખી : ચોથી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ. રૌદ્ર રસ, વીરરસ અને ઉદ્વેગથી છલકાતી પાંચમી સિમ્ફની ‘ફેઇટ નૉકિન્ગ ઍટ ધ ડૉર’ના લાડકા નામે જાણીતી બની છે. માનવી સાથે સંતાકૂકડી રમતી
નિયતિ આ સિમ્ફનીનો વિષય છે. છઠ્ઠી સિમ્ફની ‘પૅસ્ટોરેલ’ નામે જાણીતી બની છે. ગોપજીવનના અદ્ભુત રસને એમાં કેન્દ્રસ્થાને મૂક્યો છે. વિયેના ખાતેનો શ્રીમંત રશિયન ઍમ્બેસેડર કાઉન્ટ રેઝૂમોવ્સ્કી સૂઝ-સમજવાળો સંગીતનો મહારસિયો જ માત્ર નહોતો પણ એક ઉમદા વાદક પણ હતો. વિયેના ખાતેના પોતાના મહેલમાં એણે ચાર વાદકોના અંગત જૂથ ‘ક્વાર્ટેટ’ની રચના કરેલી. (એમાંથી એક વાદક તો એ પોતે જ હતો.) એણે બીથોવન પાસે ચાર વાદકો માટેની<noinclude><hr>
{{reflist}}</noinclude>
e6ymebgpjglq3yo2l6nms1iykhli8hn
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૨
104
46993
166788
166539
2022-08-08T16:31:06Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૫૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો " શુપૅન્જિક પ્રથમ વાયોલિન
વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત ‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચર્ટો નં. 4, એક ચૅલો સોનાટા (ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.
'''વૉક આઉટ'''
{{gap}}1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિખ્નોવ્સ્કીના કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિખ્નોવ્સ્કી સાથે રહેતો હતો. એક સાંજે લિખ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા. લિખ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં કેટલાક નેપોલિયોંના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ
લિક્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને અંદરથી નકૂચો વાસી દીધો. લિખ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિખ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું. એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી ઊંચકીને લિખ્નોવ્સ્કી પર ઉગામી. લિખ્નોવ્સ્કી જાન બચાવવા ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિખ્નોવ્સ્કીનો કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિખ્નોવ્સ્કીને કાગળ લખ્યો :<noinclude></noinclude>
q4zxzwv0y517aulb33ighrr6mgbfp7g
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૩
104
46994
166790
166540
2022-08-08T16:34:55Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૩}}<hr></noinclude>
:{{gap}}''પ્રિન્સ,
:{{gap}}''તમે જે કાંઈ છો તે તમારા જન્મને પ્રતાપે છો. હું જે કાંઈ છું તે મારે પોતાને પ્રતાપે છું. હજારો પ્રિન્સ આ દુનિયામાં છે, અને હજી બીજા હજારો પ્રિન્સ આ દુનિયામાં આવશે; પણ બીથોવન બીજો નહિ જ મળે !''
{{gap}}શું કલાની સાચી કદર કરનારા લિખ્નોવ્સ્કી જેવા રાજકુંવરો દુનિયામાં સદા સર્વત્ર જોવા મળે છે ખરા ? ખફા થયેલ લિખ્નોવ્સ્કીએ બીથોવનને પોતે આપી રહેલ 600 ફ્લોરિનનું વર્ષાસન કાયમ માટે બંધ કર્યું. બીથોવન સાથે સંબધોનો છેડો તેણે સદા માટે
ફાડી નાંખ્યો !
'''બગડતો જતો સ્વભાવ'''
{{gap}}જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એમ દુનિયાથી પોતાની બહેરાશ છુપાવવી બીથોવન માટે અશક્ય બની. પણ કદાચ એના જ પ્રત્યાઘાત રૂપે બીથોવનનો તુંડમિજાજ, ક્રોધ અને અહંકાર વધતા જ ગયા. 1808માં એ પોતાના કેમિસ્ટ ઍન્ડ ડ્ર્ગિસ્ટ ભાઈ જોહાન સાથે ઝઘડી પડ્યો. એનું કારણ એ હતું કે વર્ષો અગાઉ જોહાને બીથોવનને ઉધાર આપેલા પૈસા જોહાને અત્યારે પાછા માંગેલા. લિન્ઝ નગરમાં જોહાન અત્યારે નવું ઘર અને નવી દુકાન ખરીદવા માંગતો હતો. આ માટે એને પૈસાની તાતી જરૂર હતી. પણ મૂરખ બીથોવને આ માંગણીને પોતાના ઘોર અપમાન તરીકે ખપાવી ! એણે શપથ લીધા કે એ ભવિષ્યમાં કદી જોહાન જોડે વાતચીત નહિ કરે અને સંબંધ પણ નહિ રાખે ! પણ એનાથી તો જોહાનના ધંધામાં ઊની આંચ પણ આવી નહિ. એને ફ્રેંચો પાસેથી મોટા ઑર્ડર મળવા શરૂ થયા.
{{gap}}બીથોવનના આધુનિક જીવનકથાકારોએ એક મહત્ત્વની જવાબદારી પાર પાડી છે. બીથોવને અન્ય ઉપર કરેલા આક્ષેપોમાંથી અને બદનક્ષીમાંથી તેમણે સત્યાસત્યતા શોધી કાઢી છે. મોટા ભાગના<noinclude></noinclude>
6g6nfkxkn8cz6v73epodd3k2z7kxui1
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૪
104
46995
166791
166541
2022-08-08T16:38:40Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૫૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
કિસ્સામાં તટસ્થ તપાસ પછી એવું ફલિત થયું છે કે બીથોવન જ ખોટો હતો. બીથોવને કરેલા એવા એક આક્ષેપનો બીથોવનના એક શિષ્ય ઝેર્નીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં વિરોધ કરેલો. બીથોવનનો એ આક્ષેપ એવો હતો કે વિયેનાનગરીએ એની સદંતર
ઉપેક્ષા કરેલી. ઝેર્ની એનું ખંડન કરતાં કહે છે :
{{gap}}''સાચી વાત સાવ જુદી જ છે. પહેલેથી જ એક અજાણ્યા યુવાન સંગીતકાર તરીકે બીથોવન તરફ વિયેનાવાસીઓ અને એમાંના શ્રીમંતો તો ખાસ એને માન અને ધ્યાન આપતા આવેલા. એના મિજાજી સ્વભાવ અને તોછડા વર્તનના અનુભવો પછી પણ વિયેનાવાસીઓનાં તેના પ્રત્યેનાં પ્રેમ અને માન યથાવત્ રહેલાં. વિયેના સિવાય બીજી કોઈ જ નગરી એની આવી ઉદ્ધતાઈ અને બદમિજાજી સાંખી લેત નહિ. એક કલાકાર તરીકે એ હરીફો સાથે ઝઘડતો, પણ જનતા એમાં સંડોવાતી નહિ. જનતા નિર્દોષ હતી. એને બિનશરતી પ્રેમ અને માન આપવામાં વિયેનાવાસીઓ કદી પાછા પડેલા નહિ.''
{{gap}}વ્યક્તિગત ધો૨ણે એની સાથે મેળ પાડવો મહામુશ્કેલ હતો. એનાં બે લક્ષણો – બહેરાશ અને બેધ્યાનપણું – ને કારણે રોજિંદી વ્યવહારુ વિધિઓ અને ખાસ તો ઑર્કેસ્ટ્રા કે કોય૨ના કન્ડક્ટિન્ગમાં એને પારાવાર તકલીફ પડતી. પાંચમી સિમ્ફનીના રિહર્સલ્સ દરમિયાન
1808માં તો એણે ઑર્કેસ્ટ્રાને એટલી હદે ઉશ્કેરી મૂક્યો કે વાદકોએ શરત મૂકી કે રિહર્સલ્સ દરમિયાન બીથોવન ગેરહાજર રહે તો જ એની કૃતિઓ વગાડવામાં આવશે. ઊંચા સ્વરો તો કદી એને સંભળાતા જ નહોતા અને બીજું કે ચાલુ કન્ડક્ટિન્ગે એ વિચારોમાં ખોવાઈ જતો
તેથી સમયની ગણતરીમાં ભૂલ કરીને ઑર્કેસ્ટ્રાને ખોટી સૂચનાઓ આપતો રહેતો. એના કોરલ ફેન્ટાસિયાના રિહર્સલ્સ દરમિયાન એક વા૨ એણે અધવચ્ચે ઑર્કેસ્ટ્રાને અટકાવીને નવેસ૨થી એકડેએકથી આરંભ કરવાની ફરજ પાડી. સ્વાભાવિક રીતે જ એનું આ વર્તન<noinclude></noinclude>
or8kgf0hoo05gckn34h4b8ll9pqax0k